અંદાજપત્રમાં દેખીતી રીતે કૃષિ, ઊર્જા ક્ષેત્ર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રને વેગ અપાયો છે. આ એક ભાવિ શક્યતા સાથેનું, પ્રગતિકારક અને સુધારાલક્ષી અંદાજપત્ર છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ખાનગી રોકાણ આકર્ષવા જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી)ને આધાર પૂરો પડે તે માટે વાયેબિલિટી ગેપ ફન્ડિંગ (વીજીએફ)ની જરૃરિયાતને પારખીને સરકારે સિંચાઈ (બંધો, નહેરો, બાંધખાતા) કૃષિ બજારોમાં ટર્મિનલ માર્કેટસ, મજિયારા આંતરમાળખા, જમીન પરીક્ષણ કરતી લેબોરેટરીઝ અને ફર્ટિલાઈઝર્સ ક્ષેત્રે મૂડીરોકાણને વીજીએફ માટે પાત્ર ગણ્યા છે. જોકે, નાણાં ખાધને જાળવી રાખવાની સરકારની કઠિનાઈ સર્વિસ ટેક્સના દસ ટકાના દર પરથી વધીને ૧૨ ટકામાં પરિણમી છે. હવે સર્વિસ ક્ષેત્રનું યોગદાન જીડીપીના ૫૦ ટકાથી પણ વધુનું છે. આર્થિક વૃદ્ધિ જીવંત બનતાં સરકારને એક્સાઈઝ ડયૂટી ૧૨ ટકા સુધી વધારવાની છૂટ મળી છે. જોકે, કોર્પેેરેટ ટેક્સમાં કશો ફેરફાર કરાયો નથી. રાહતની મર્યાદા વધારી અને ટેક્સના સ્લેબમાં ફેરફાર કરીને આમ વ્યક્તિને આવકવેરામાં રાહત અપાઈ છે. સરકારે ખાસ કરીને બુલિયન ઉદ્યોગ સામે કઠોર વલણ અપ્નાવ્યું છે. આ કઠોર પગલાં હૂંડિયામણના બહાર ચાલી જતા પ્રવાહને રોકવા અને બિનઉત્પાદકીય અસ્કયામતોમાં રોકાણો ઘટાડવા માટે લેવાયા હોવાની શક્યતા છે. જોકે, બુલિયનને કારણે હૂંડિયામણના બહાર ચાલી જતા પ્રવાહને રોકવા સરકાર આકર્ષક ગોલ્ડ બોન્ડ સ્કીમ મારફત સ્થાનિક ઘરગથ્થુ સ્ટોક મેળવી શકી હોત અને આવા સોનાને રિફાઈન્ડ સ્ટાન્ડર્ડ ગોલ્ડ બારમાં પરિવર્તિત કરીને તેવું સ્થાનિક બજારમાં પુનર્વેચાણ કરી શકાયું હોત. આથી ભૌતિક સ્વરૃપે ઉપલબ્ધિને અસર થયા વિના આયાતનો વિકલ્પ પ્રાપ્ત કરી શકાયો હોત. પૂર્વ ભારતમાં અનાજની ઉત્પાદકતામાં વધારો કરવા ખર્ચ વધારવાની દરખાસ્ત સરકારનું સકારાત્મક પગલું છે. અંદાજપત્રમાં વેરહાઉસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની ગત વર્ષથી આગળ વધારાશે. આરઆઈડીએફ હેઠળ દેશમાં વેરહાઉસના આંતરમાળખાને ધિરાણ પૂરું પાડવા નાબાર્ડને રૃ.૫,૦૦૦ કરોડ અપાયા છે. સરકારે આધાર પ્રોજેક્ટ વિષે સકારાત્મક નિર્દેશ આપ્યા છે, જેનો ઉપયોગ સબ્સિડીના વિતરણ અને જાહેર વિતરણ પ્રણાલીને નક્કર બનાવવા અદ્યતન ટેક્નોલોજી માટે થશે. ફર્ટિલાઈઝર્સ સબ્સિડીના વિતરણમાં સૂચિત સુધારા પણ આવકારપાત્ર છે. ખેતી, ઊછેર, ઉત્પાદન, પ્રોસેસિંગ કે માર્કેટિંગના તબક્કાથી પ્રાયમરી બજારમાં વેચાણ ઉત્પાદન માટેની જરૃરી સેવાઓને નકારાત્મક યાદીમાં આવરી લેવાઈ હોઈ આ સેવાઓ પર સર્વિસ ટેક્સ લાગુ પડશે નહીં. અત્રે જણાવેલા વ્યવસાયો કે જેમાં રોકાણ સંલગ્ન મૂડીખર્ચની કપાત થઈ હોય તે હાલના ૧૦૦ ટકાની સામે વધેલા ૧૫૦ ટકાના દરે મળી શકશે. આ વ્યવસાયોમાં કોલ્ડ ચેઈન સુવિધા, અનાજ સંગ્રહ માટેના વેરહાઉસ, હોસ્પિટલ્સના ફર્ટિલાઈઝર્સ, પોસાણક્ષમ હાઉસિંગનો સમાવેશ થાય છે, જે કૃષિ સંબંધી લણણી બાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપશે. જીએસટીના મોરચે, સરકારે નક્કર વ્યૂહ ઘડી કાઢયો છે. જીએસટી નેટવર્કનું માળખું રાજ્યનાં નાણાંપ્રધાનોની એમ્પાવર્ડ કમિટીએ મંજૂર કર્યું છે. જીએસટી નેટવર્ક નેશનલ ઈન્ફોર્મેશન યુટિલિટી તરીકે સ્થપાશે અને ઓગસ્ટ-૨૦૧૨થી કાર્યરત જીએસટી નેટવર્ક તમામ રાજ્યો માટે શેર્ડ પ્લેટફોર્મ પર મજિયારી પેન આધારિત નોંધણી, રિટર્નના ફાઈલિંગ અને પેમેન્ટ પ્રોસેસિંગ અમલી બનાવશે, જે રાષ્ટ્રીય સ્તરના ઈલેક્ટ્રોનિક સ્પોટ એક્સચેન્જોને વેગવાન બનાવશે અને ધીમે-ધીમે કોમોડિટીના હાજર વેપારમાં દેશભરમાં હાજર ભાવની શોધ પારદર્શકતા લાવશે. જીએસટીનો અમલ આ સ્વપ્નને સફળ બનાવશે. લણણી બાદની લોન કે જે નિગોશિયેબલ વેરહાઉસ રસીદો સામે લેવાઈ હોય તેના ઉપરના વ્યાજમાં ૩ ટકાની રાહતથી ખેડૂતોની આપિાકારક વેચવાલી અટકશે. આડકતરા વેરા સંબંધમાં કરાયેલી અનેક જાહેરાતો જેવી કે ફાર્મ ઈક્વિપમેન્ટ પરની અને ગ્રીન હાઉસીસ, વોટર સોલ્યુબલ ફર્ટિલાઈઝર્સ ઉપરની આયાત-જકાતમાં કરાયેલા ઘટાડાથી ખેડૂતોના ઉપયોગી વપરાશી માલો ઉપરના ખર્ચમાં ઘટાડો થશે. ગૌણ સિંચાઈ યોજનાઓને વાયેબિલિટી ગેપ ફન્ડિંગ હેઠળ સિંચાઈ પ્રોજેક્ટો માટે નાણાંકીય સગવડ પૂરી પાડવા માટે એક સ્વતંત્ર કંપ્ની રચવાનો નિર્ણય પણ એક નવીનામ પગલું છે, કારણ કે આ યોજનાથી અનેક ખાનગી કંપ્નીઓ પણ સિંચાઈની સગવડો વિકસાવવાના ધંધામાં પ્રવેશ કરવા આકર્ષાશે. કૃષિ વિષયક સંશોધનો માટે સંશોધકોને રૃ.૨૦૦ કરોડના પારિતોષિકો આપવાની યોજના પણ સરકારે લીધેલું એક નવીનામ પગલું છે. સંશોધક વૈજ્ઞાાનિકો દ્વારા કૃષિવિષયક ક્ષેત્રમાં વૈજ્ઞાાનિકો કેટલો મહવનો ફાળો આપી શકે એમ છે તે આ જોગવાઈથી પુરવાર થયું છે. ટૂંકમાં કહીએ તો અંદાજપત્ર સરકારનો આર્થિક સુધારાલક્ષી કાર્યક્રમને નવા વર્ષમાં પણ આગળ ધપાવવાના સરકારની પ્રતિબદ્ધતા સમાન છે. |
No comments:
Post a Comment